સમય નું મહત્વ કે મહત્વ નો સમય . . .
બન્યો હું રાજા કે ફકીર !!!
એક પ્રચલિત કથન છે : " હું સમય છું ..."
એક નિયત , અવિરત , અને હંમેશા આગળ વધતું ચક્ર એ સમય નું ચક્ર / કાલ ચક્ર છે. જેના પ્રતેયક ક્ષણ ના સદુપયોગ માત્ર થી જ જીવન યથાર્થ બને છે , જીવન લક્ષ્ય પ્રાપ્તિ નો પથ સુગમ બને છે .
સંસ્કૃત માં કહેલું છે કે,
" क्षणशः कणशः चैव विद्यामर्थं च साधयेत् |
क्षण त्यागे कुतो विद्या कण त्यागे कुतो धनम् || "
કે જેનો સામાન્ય અર્થવિસ્તાર છે કે - ક્ષણ ક્ષણ કરી ને અને કણ કણ કરી ને વિદ્યા તેમજ ધન મેળવવા , ક્ષણ નો ત્યાગ થતાં વિદ્યા ક્યાં થી તેમજ કણ નો ત્યાગ થતાં ધન ક્યાંથી ( મેળવાય ) ??? - માટેજ યથાર્થ કહેવા માં આવ્યું છે કે જે તે સમયએ યોગ્ય કાર્ય કરી એ. ક્ષણ નો સદુપયોગ કરી ને વિદ્યા , ધન ની પ્રાપ્તિ કરી ને ઘર , સમાજ અને આવનારી પેઢી ઓ માટે યોગ્ય દ્રષ્ટાંત બનીએ અને પરમ શક્તિ ને પામવા ની યોગ્યતા કેળવીએ .
માટેજ અંગ્રેજી માં લખેલું છે કે " The great end of Life is not only the Knowledge but Action- at appropriate Time".
જીવન ની મળેલ આ ગણતરી ની પળો અમૂલ્ય અને અલૌકિક છે. જીવનકાળ દરમિયાન ઉત્તમ કર્મો, પુરુષાર્થ થકી સર્વ નું કલ્યાણ થાય એ માટે યત્નશીલ રહેવું જોઈએ. સમયસર કાર્ય કરતાં પ્રાપ્ત થતાં મીઠાંફલો નો સ્વાદ સ્વજનો સાથે માણી શકાય છે. પરંતુ સમય ની તે ક્ષણ / કાર્યશીલ ક્ષણ વીતી જતાં ફક્ત પસ્તાવાનો જ વારો આવે છે. " A stitch in Time Saves Nine "- Truly Said.
મિત્રો , આ એ જ વેળા છે , ચાલો આપણા સ્નેહીઓ, સ્વજનો ની સાથે આપણે આનંદદાયક ક્ષણ વ્યતીત કરીએ .વીતેલી ક્ષણ એ જીવન નું સંભારણું બની જાય છે. એક કટુ સત્ય છે આ સૃષ્ટિ નો કે જીવન માં થી સમય અને પ્રાણ એકવાર ગયા પછી કદી પાછા આવતાં નથી.
" વેળા વળે ને વિપત વળે , વળે વિદેશી વા 'ણ ;
વેરી અને વા 'લા વળે , ગયા વળે નહિ પ્રાણ .. "
આ દુનિયા માં સુખ અને દુઃખ આવે ને જાય , બા'ર ગામ ગયેલાં પણ પાછા આવી શકે છે . અરે દુશ્મનો બને દોસ્ત અને દોસ્ત બને દુશ્મન પરંતુ એક વાર જે તે સમયે પ્રાણ ચાલ્યો જાય એ ફરી એ જ શરીર માં આવતો નથી.
માટેજ મિત્રો , આ સમય , વર્તમાન સમય ની આ વેળા , આ ક્ષણ ને જ યોગ્ય સત્કર્મ થકી યાદગાર બનાવી જીવન ને સાર્થક કરીએ એ આશા સાથે , એક સાંભળેલ માર્મિક પંક્તિ રજુ કરું છું ,
" ફિકર ની કેમ કરે છે ફિકર ,
જોઇ શકાય છે નયનો થી નભ ની ઉપર,
જીવી માણવા મળેલ છે આ જિંદગી ,
છતાં કેમ છે ભરોસો આ લકીર પર ,
ચાલી સત્કર્મ ને કર્તવ્યો નાં રાહ પર જ ,
થાય છે નક્કી કે "હું " કોણ ? ?- રાજા કે ફકીર "
No comments:
Post a Comment
Thanking you For your Valuable Note.
And also For the Next Updated Post , Be a part of The Blog.